મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .


અનાવિલો વિષે કવિ શ્રી "ઉશનસ" એમની સુંદર કવિતા દ્વારા
હું અનાવિલ છું.
મને છંછેડતા નહીં, યાદ રાખો, હું અનાવિલ છું,
જરા સંભાળજો, આવે ન વારો, હું અનાવિલ છું.
મળી તાલીમ એવી જન્મથી ટટ્ટાર રહેવાની,
પડે તકલીફ ઝુકતાં ખૂબ યારો, હું અનાવિલ છું.
વધ્યો સંઘર્ષ તો હું શ્વાસ લેવા બે ઘડી બેઠો,
દયા ખાતાં ન સમજીને બિચારો, હું અનાવિલ છું.
કરું આનંદ હું મહેફિલની થઈને આગવી રોનક,
ને એકલતામાં માણું સાથ મારો, હું અનાવિલ છું.
મેં મારાં ઈષ્ટ પાસે વારસો તાંડવનો માંગ્યો તો,
મગજનો એટલે ઊંચો છે પારો, હું અનાવિલ છું.
- હેમાંગ નાયક -
[25/07, 13:03] Hemangbhai Writer Naik: હેમાંગ નટવરલાલ નાયક
મૂળ વતન : વાપી
હાલ : વાપી
ગઝલ લેખન ક્ષેત્રે પ્રવૃત
કવિતા - હું અનાવિલ છું

